સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 23rd June 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોના ટાઢો પડ્યો :નવા 13 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 48 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 5 કેસ. માળીયામાં 3 કેસ,માંગરોળમાં 2 કેસ, કેશોદ, માણાવદર અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, આજે કોરોનાના નવા 13 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 48 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 13 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 5 કેસ. માળીયામાં 3 કેસ,માંગરોળમાં 2 કેસ, કેશોદ, માણાવદર અને વિસાવદરમાં 1-1  કેસ  નોંધાયો છે.

(8:37 pm IST)