સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 23rd June 2021

ધ્રાંગધ્રાના ઝુપડપટ્ટી વિસ્તારમાં સાપ કરડતા બહેનનું મોત : ભાઇ સારવારમાં

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૩ : હાલમાં સુરેન્દ્રનગર પંથકમાં વરસાદે એન્ટ્રી લઇ લીધી છે ત્યારે સુરેન્દ્રનગર પંથકમાં વરસાદી વાતાવરણ વચ્ચે ઝેરી જનાવરો કરડવાના બનાવોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા પંથકના કબ્રસ્તાન પાછળ આવેલા ઝુંપડપટ્ટીમાં બે સગા ભાઇ-બહેનના સાંપ કરડ્યો હતો પ્રાથમિક તપાસમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા ત્યાં નવ વર્ષની બહેન કિંજલને ડોકટર દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી. અને ભાઈને સારવારમાં લઈ લેવામાં આવ્યો હતો.

અગિયાર વર્ષના ઉમંગ ને પણ સાપ કરડ્યો છે તેને હાલમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સારવાર શરૂ કરાવી દેવામાં આવી છે ત્યારે નવ વર્ષની પુત્રીનું સાપ કરડવાથી મોત નિપજતા પરિવારમાં ઘેરો શોક વ્યાપી જવા પામ્યો છે.

(12:12 pm IST)