ગોંડલમાં માનસીક બિમારીથી કંટાળીને ૫૦ વર્ષના જયસુખભાઇ બાવળીયાનો આપઘાત
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૩ : અત્રેનાં વોરાકોટડા રોડ પર હુડકો આવાસ પાસે આવેલાં મફતીયાપરાં માં રહેતાં આધેડે પોતાનાં ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મફતીયાપરાં માં રહેતાં અને મજુરીકામ કરતાં કોળી જયસુખભાઇ નાનજીભાઈ બાવળીયા ઉ.૫૦ પોતાનાં ઘરે એકલાં હતાં ત્યારે પંખા સાથે દોરડું લટકાવી ગળાફાંસો ખાઇ લેતાં તેનું મોત નિપજયું હતું.
બે દિકરા એક દિકરી અને પત્ની સહીતનો પરીવાર સાંજે મજુરી કામથી ઘરે પરત ફરતાં ઘરનો દરવાજો અંદરથી બંધ હોય નળીયા પર ચડી નળીયુ ખેસવી રૂમમાં નજર કરતાં જયસુખભાઇ પંખામાં લટકતાં નજરે પડતાં તુરંત સીટી પોલીસને જાણ કરતાં પોલીસ કોન્સ્ટેબલ પુનિત અગ્રાવત ઘટનાં સ્થળે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક જયસુખભાઇ છેલ્લાં કેટલાંક સમયથી માનશીક બિમારીથી પીડાતા હોય દવા પણ ચાલું હતી. બિમારીથી કંટાળી પગલું ભર્યાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.