જૂનાગઢમાં એટીએમ કાર્ડ મેળવી અજાણ્યા શખ્સે બે વર્ષમાં રૂ. રર.૪૬ લાખ ઉપાડી લીધા
હાલ ધોરાજી રહેતા યુવાન સાથે છેતરપીંડી
જુનાગઢ તા. ર૩: જૂનાગઢમાં એટીએમ કાર્ડ મેળવી અજાણ્યા શખ્સે બે વર્ષમાં રૂ. રર.૪૬ લાખ ઉપાડી લઇ યુવાન સાથે છેતરપીંડી આચરતા ચકચાર મચી ગઇ છે.
આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢ તાલુકાના સરગવાડા ગામનાં વતની હાલ ધોરાજી ખાતે રહેતા મનસુખ કલ્યાણજીભાઇ ચોવટીયા (ઉ.વ. ૪પ) નામનો યુવાન જૂનાગઢમાં ખલીલપુર રોડ સ્થિત સેન્ટ્રલ બેંકમાં ખાતું ધરાવે છે.
ખેતીનો વ્યવસાય કરતાં આ યુવાનની જાણ બહાર અજાણ્યા શખ્સે યેનકેન રીતે એટીએમ કાર્ડ મેળવી છેલ્લા બે વર્ષમાં અલગ અલગ દિવસે રૂ. રર લાખ, ૪૬ હજાર ૯૦૦ની રકમ ઉપાડી લીધી હતી.
આ અંગેની જાણ કરતા મનસુખભાઇએ બી ડીવીઝનમાં ફરિયાદ કરતાં પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિશેષ તપાસ પી.એસ.આઇ. બી. એન. વાંક ચલાવી રહ્યા છે. (૭.ર૭)