પડધરીના નાનાવડા, નાનાઇટાળામાં બાળાઓને નોટબુક વિતરણ
ચલાળા : પડધરી તાલુકાના નાનાવડા તથા નાના ઇટાળાની પ્રાથમિક શાળાની અંદાજે ૭૦ જેટલી બાળાઓને સ્વ. શિવમ એચ. મહેતાના સ્મરણાર્થે નોટબુક વિતરણ કરાયુ હતુ. અકસ્માતમાં જીવ ગુમાવનાર શિવમ મહેતાના સ્મરણાર્થે હિંમતભાઇ કે.મહેતા (તલાટી કમ મંત્રી) અને પરિવાર દ્વારા નોટબુક વિતરણ કરી ૧૦૦% દાનનો સદઉપયોગ કરી ઉમદા ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યુ હતુ. પાણીયાદેવના આચાર્ય જીતેન્દ્રભાઇ એમ. મહેતા, નાના ઇટાળાના સરપંચ સિધ્ધરાજસિંહ જાડેજા, આગેવાન ઉપેન્દ્રસિંહ જાડેજા, આચાર્ય તથા શિક્ષકગણ તથા નાનાવડા ગામે પણ સરપંચ ભરતભાઇ પાંભર, ઉપસરપંચ મોહનભાઇ પાંભર, આચાર્ય અને શિક્ષક સ્ટાફ અને ગ્રામજનોએ નોટબુક વિતરણ દ્વારા બેટી પઢાવો ના મહેતા પરિવારના અભિગમને વધાવ્યો હતો. સ્વ.શિવમ મહેતાના આત્મકલ્યાણાર્થે દર અમારે શ્રમીકો, મજૂરોને પણ સવારમાં નાસ્તો કરાવવામાં આવે છે. તસ્વીરોમાં બાળકોને નોટબુક વિતરણ થતી દર્શાય છે. (તસ્વીર - અહેવાલ : દિપ કારીયા, ચલાળા)