વડાપ્રધાન મોદીના પ્રવાસને પગલે આયોજન હેતુથી મોરબી તાલુકા ભાજપના હોદેદારોની મીટીંગ યોજાઈ
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાય તે માટે ચર્ચા કરાઈ .
મોરબી :તા ૨૮ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આટકોટ (જસદણ) ખાતે કે ડી પી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના લોકાપર્ણ પ્રસંગે પધારવાના છે જે કાર્યક્રમમાં મોરબી તાલુકામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો જોડાય તેના આયોજન માટે મોરબી તાલુકાના હોદેદારોની મીટીંગ યોજાઈ હતી
મોરબીમાં સાંસદ મોહનભાઈ કુંડારિયાના કાર્યાલય ખાતે આયોજિત મીટીંગમાં તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા, જીલ્લા પંચાયતના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, હીરાભાઈ ટમારીયા, તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઈ ચાવડા, ઉપપ્રમુખ વિક્રમસિંહ ઝાલા, ચેરમેન રાકેશભાઈ કાવાર, દંડક હર્ષદભાઈ પાંચોટિયા, પક્ષના નેતા ભુપતભાઈ સવસેટા, દશુભા ઝાલા, વિશાલ ઘોડાસરા, તાલુકા ભાજપ મહામંત્રી, પ્રમુખ અને અન્ય હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી.