સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

જિંદગી બની ઝેર : કચ્છમાં એક જ દિ'માં ત્રણ મહિલાઓએ જીવ દીધા

ભુજ તા. ૨૩ : લોકોમાં જીવનની કઠીનાઈઓ અને મુશ્કેલીઓનો સામનો કરવાની ધીરજ જાણે ખૂટી ગઈ છે. પરિણામે આત્મહત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કચ્છમાં એક જ દિ'માં બનેલા આત્મહત્યાના ત્રણ બનાવોએ ચકચાર સર્જી છે.

મુન્દ્રાના નાની ભુજપુર ગામે સાવિત્રી રામભાઈ ગઢવી નામની ૨૩ વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હતું. માંડવીના ખારવા પાંચાડામાં રહેતા ૫૮ વર્ષીય પ્રૌઢ મહિલા જયોત્સનાબેન નરશી ઝાલાએ ટોયલેટ સાફ કરવાનું એસિડ પીને જીવનનો અંત આણ્યો હતો. તો, ત્રીજા બનાવમાં અંજાર તાલુકાના દૂધઇ ગામેં કિરણ ભીખાભાઇ ઠાકોર નામની ૧૭ વર્ષીય યુવતીએ ઝેરી દવા પીને પોતાની જિંદગી ટૂંકાવી હતી.

અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાના પરિવારજનોના જવાબ વચ્ચે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(2:39 pm IST)