સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

મહુવાના કતપરના માછીમારનો મૃતદેહ રાજુલાના ચાંચબંદરના દરિયાકાંઠેથી મળ્યો

રાજુલા, તા. ર૩ : ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના કતપર ગામના રહેવાસી શાન્તીભાઇ મોહનભાઇ બારૈયા ઉ.વ.૪૦ કે જે માછીમારી કરતા હતાં તે ચાર દિવસથી ગુમ  થયા હતાં તેની લાસ આજરોજ રાજુલા તાલુકાના ચાંચ બંદર ગામના દરિયા કાંઠાથી મળી આવેલ તેની જાણ પીપાવાવ મરીન પોલીસને થતાં મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની તપાસમાં જાણવા મળેલ કે તે મરનાર વ્યકિત કતપર ગામે દરિયામાં માછીમારી કરતા હતાં ત્યારે પગ લપસી જતા તેઓ દરિયામાં તા. ૧૮/પ/ર૦ના રોજ સવારે ૭ વાગ્યે પડી ગયા હતાં તેની લાશ રાજુલા તાલુકાની ચાંચબંદરે દરિયા કિનારે કોહવાયેલી હાલતમાં મળી આવેલ છે જેનું પોસ્ટ મોર્ટમ કરવા ભાવનગર ફોરેન્સીક લેબમાં મોકલી આપેલ છે. વધુ તપાસ પીપાવાવ મરીન પોલીસના પીએસઆઇ. શર્મા ચલાવી રહ્યા છે.(

(12:49 pm IST)