સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

ગીરગઢડામાં દીપડાને પકડવાના પાંજરામાં ૨ શ્વાન પુરાય ગયા : જંગલ ખાતાએ છોડાવ્યા

ઉના,તા.૨૩ : ગીરગઢડા ગામે નવાપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દિપડા રહેણાક વિસ્તારમાં આવી પાલતુ પ્રાણીનો શિકાર કરી ત્રાસ ફેલાવતા હોય વન વિભાગે દિપડાને પકડવા પાંજરૂ રાખેલ જેમાં વહેલી સવારે દિપડો તો પાંજરે ન પુરાયો પરંતુ બે શ્વાન દિપડાથી બચવા પાંજરામાં ઘુસી જતા પાંજરૂ બંધ થઇ ગયુ હતુંૃશ્વાન મોટા અવાજે ભસવા લાગતા આજુબાજુના શ્વાનો ભેગા થઇ ગયેલ હતો ભસવા લાગતા લોકો જાગી ગયા હતા  જોતા પાંજરામાં બે શ્વાન પુરાયેલા હોય વન વિભાગે જાણ કરતાં પાંજરામાંથી શ્વાનને છોડાવેલ હતાં. લોકોમાં રમુજ સાથે આશ્વર્ય થયુ હતું.

(12:14 pm IST)