જાફરાબાદમાં જુથ અથડામણમાં ટોળા સામે ફરીયાદ બાદ ૧૯ ની ધરપકડ
રાજુલા તા. ર૩ : જાફરાબાદ ખારવા સમાજના બે જુથો વચ્ચે પૈસાની લેતી દેતીના મામલે થયેલ જુથ અથડામણમાં આજરોજ જાફરાબાદ પોલીસ દ્વારા પપ૦૦ લોકોના ટોળા સામે ફરીયાદ થયેલ છે ફરીયાદી નારણભાઇ કલ્યાણભાઇ બાંભણીયા જે ખારવા સમાજના અગ્રણી છે. તેઓ દ્વારા ફરીયાદ કરવામાં આવેલ છે.
આ ફરીયાદના અનુસંધાને પોલીસ દ્વારા કલમ ૩ર૩, પ૦૪, ૩૩૭, ૩૩૮, ૪ર૭ ૧ર૦/બી સહિતની કલમો નોંધવામાં આવેલ છે આ ફરીયાદના અનુસંધાને તે આજરોજ ૧૯ જણાની ધરપકડ કરવામાં આવેલ છે. અને હજુ પણ ઓળખ થતી જાય તેમ ધરપકડનો દોર શરૂ કરવામાં આવેલ છે.
જાફરાબાદ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે જેમાં જાફરાબાદ મરીન, અમરેલી હેડ કવાર્ટર તથા ખાંભા, નાગેશ્રી, પીપાવાવ મરીન સહિતના પોલીસ સ્ટેશનોમાંથી પોલીસ બોલાવીને જાફરાબાદમાં બંદોબસ્ત અર્થે ગોઠવવામાં આવેલ છે આ જુથ અથડામણના કારણે ડી.એસ.પી. તથા ડી.વાય.એસ.પીના માર્ગદર્શન નીચે ડી.આઇ. જે.ડી.ઝાલા તથા પી.એસ.આઇ. રાણા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે.