ભાવનગરમાં રાહત : ચાર દિવસથી કોરોનાનો કેસ નહિ
૧૧૨ પૈકી ૮૭ દર્દીઓ ડિસ્ચાર્જ થતા ૭૭.૬૮ ટકા દર્દીઓ કોરોના મુકત થયા
ભાવનગર તા. ૨૩ : ભાવનગરમાં છેલ્લા ચાર દિવસથી એક પણ કોરોનાનો કેસ નોંધાતા રાહતની લાગણી અનુભવાય છે.
દરમિયાન વધુ બે દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા બે દર્દીઓ સાજા થતાઙ્ગ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગત તા.૧૨ મેના રોજ દાખલ થયેલ ભાવનગરના રૂવાપરી રોડ,સંજરીપાર્કમાં રહેતા ૭ વર્ષના બાળક આશાદ હુમાયુ શેખ તથા ૩૩ વર્ષના યુવાન શકીલભાઈ અબ્દુલકાદર યામિનીની તબિયતમાં સુધારો થતા આજે આ બંને દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ભાવનગર જિલ્લામાં નોંધાયેલ કોરોનાનાં ૧૧૨ દર્દી પૈકી કુલ ૮૭ દર્દીઓ સાજા થાય છે. હોસ્પિટલમાં હાલ ૧૭ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ભાવનગરમાં ૭૭.૬૮ ટકા દર્દીઓ કોરોના મુકત થયા છે.