News of Thursday, 23rd May 2019
તળાજાના તરસરા એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડામણ :પાંચ ઘાયલ :એક ગંભીર
લગ્ન પ્રસંગે પાણી ભરવા બાબતે જૂથ અથડામણ સર્જાઈ
ભાવનગરમાં તળાજાના તરસરા બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ છે. તળાજાના રરસરા ગામે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે લગ્ન પ્રસંગે પાણી ભરવા બાબતે જૂથ અથડામણ સર્જાઈ છે. જેમાં પાંચ લોકો ઘાયલ થયા છે
. ઘાયલ થયેલા લોકોને પ્રથમ તળાજા અને બાદમાં ભાવનગર સારવાર માટે ખસેડાયા છે. જેમાંથી એકની હાલત ગંભીર છે.બનાવની જાણ થતા સ્થાનિક પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે
(1:07 pm IST)