સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd May 2019

મોરબીમાં વિદેશ અભ્યાસ અને શૈક્ષણિક લોન અંગે સેમીનારમાં માર્ગદર્શન

મોરબી, તા.૨૩: મોરબીના ટાઉનહોલમાં તાજેતરમાં શૈક્ષણિક સેમીનાર યોજવામાં આવેલ જે નિશુલ્ક સેમિનારમાં એમબીબીએસ માટે વિદેશ અભ્યાસ અને વિદેશ અભ્યાસ માટે મળતી લોન અંગે માહિતી આપવામાં આવી હતી.

સેમિનારમાં હાજર રહેલા વિદ્યાર્થીઓને આઈ.એમ.એ પ્રેસિડન્ટ (ગાંધીનગર) ડોકટર અનિલ ચૌહાણ એમડી અને ગાંધીનગરના ઉમંગભાઇ પટેલ, મોરબીના ડાયરેકટર પ્રસાદ ગોરીયા તથા રમેશ કૈલા દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

જે સેમિનારનો અનેક વિદ્યાર્થીઓએ લાભ લઈ યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું. આ સેમિનારને સફળ બનાવવા મેકિંગ ડોકટર ઓર્ગેનાઈઝેશન ટીમ મયુર કુંડારીયા, અમિત ભીમાણી, દિપ ભીમાણી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

(11:54 am IST)