સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd May 2019

દામનગર માં અમૃતમ યોજના અને વાત્સલ્ય યોજના કાર્ડ પ્રશ્ને મુખ્યમંત્રીને રજૂઆત

દામનગર તા.ર૩ : તાલુકા પંચાયતના સદસ્ય રેખાબેન ગોરસીયાએ કલેકટરને રજૂઆત કરી છે. મુખ્યમંત્રી અમૃતમ યોજના વાત્સલ્ય અંગે લાઠી તાલુકા એ આપેલ કાર્ડ બંધ હાલતમાં હોવાની રજૂઆત કરી છે.

અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના ભાયાવદર ગામના શંભુભાઇને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનામાં આરોગ્ય અંગે કાર્ડ મેળવેલ છે. જે અંગે શંભુભાઇ બિમાર પડતા સદરહું કાર્ડ બતાવતા કે કાર્ડ ડોકટરને બતાવતા આ કાર્ડ બંધ હાલતમાં છે. જેથી ચાલે નહી તેવુ જણાવેલ છે. જેથી આ કાર્ડ બંધ હોય તેથી સારવાર મેળવી શકે નહી જે કાર્ડ લાઠી તાલુકામાં આવેલ એજન્સીને બતાવેલ છે તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(11:11 am IST)