News of Wednesday, 23rd May 2018
મોરબીના શાપર ગામે રમેશ દેવીપૂજકના મોત અંગે તપાસ
લાશ કોહવાયેલ હાલતમાં મળી'તીઃ મોતનું કારણ જાણવા લાશને ફોરેન્સીક પી.એમ. માટે રાજકોટ ખસેડાઇ
મોરબી, તા.૨૩: મોરબી નજીકના શાપર ગામે દેવપૂજક યુવાનનો કોહવાયેલો મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવ્યાની ગામના સરપંચે જાણ કરતા તાલુકા પોલીસની ટીમ દોડી ગઈ હતી. મૃતક યુવાન શાપર ગામનો વતની રમેશ ગોવિંદ માલણીયાત જાતે દેવીપુજક હોવાનું જાણવા મળ્યું હતું તેમજ યુવાનના મૃતદેહને કુતરાએ ફાડી ખાધો હોય તેવી આશંકાને પગલે પોલીસે તે દિશામાં વધુ તપાસ ચલાવી છે. યુવાનના મોત અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ તાલુકા પીએસઆઈ શકિતસિંહ ગોહિલ ચલાવી રહ્યા છે. યુવાનના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો છે અને પીએમ રીપોર્ટ બાદ જ યુવાનના મોતનું સાચું કારણ જાણી શકાશે.
(2:36 pm IST)