સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 23rd May 2018

ધ્રાંગધ્રામાં ફરીયાદ પાછી ખેચવાની ધમકી આપીને સોની વેપારી પાસે ૨૫ લાખની ખંડણી માંગી

વઢવાણ તા.૨૩: ધ્રાંગધ્રા શહેરના ના મંદિર પાસે રહેતા અને રામ મહેલ મંદિર પાસે સોનીની દુકાનનો શોરૂમ ધરાવતા સોની વેપારી મોલીકભાઇએ ચાર માસ પહેલા આરોપી અફજલ ભાઇ સામે સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જેનું મનદુઃખ રાખી અફજલભાઇ રહીમભાઇ અને નાગજીભાઇ ડોસા ભાઇએ સોની વેપારી મોૈલીકભાઇ ભાવેશભાઇ સોનીને અગાઉ કરેલી ફરીયાદ પાછી ખેંચી લેવાની અને ૨૫ લાખની ખંડણી આપી જવાનું જણાવ્યું હતું.

 આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા વેપારી મોૈલીકભાઇ દ્વારા ધ્રાંગધ્રા સીટી પોલીસમાં બંને આરોપી સામે ફરીયાદ નોંધાવી હતી. આથી સીટી પી.એસ.આઇ એન.કે. વ્યાસ, પી.એસ.આઇ. ગામેતી અને સ્ટાફ દ્વારા આરોપી અફઝલભાઇ રહીમભાઇને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

(2:34 pm IST)