સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd April 2021

જેતપુરમાં કોરોના થી વધુ એક જીવનદીપ બુજાયો : નવાગઢમાં પી.જી. વી. સી. એલ. માં લાઈન ઇન્સ્પેકટર જગદીશભાઈ પુરોહિત કોરોના સામેની જંગ હારી ગયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર:::જેતપુરમાં કોરોના થી વધુ એક જીવનદીપ બુજાયો પી.જી.વી.સી.એલ. લાઈન ઇન્સ્પેકટર નું કોરોના થી મોત થયું છે.

       શહેરના નવાગઢમાં પી.જી. વી. સી. એલ. માં લાઈન  ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ પુરોહિત કોરોના સામેની જંગ માં હારી ગયા. કોરોના એ માજા મૂકી હોય બેફામ ફેલાય રહ્યો છે. મામલતદાર ઓફીસ, એસ. ટી. વિભાગ બાદ પી.જી.વી.સી.એલ. માં પણ કોરોના ઘૂસ્યો. જગદીશભાઈ નું કોરોના થી મોત થતાં ડી. ઈ. જે. એન. ગઢવી સહિતના તમામ સ્ટાફે શોકની લાગણી વ્યક્ત કરી હતી.

(2:06 pm IST)