સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd April 2021

સૌથી વધુ ખંભાળીયામાં ૧૮

દેવભુમી દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા ૩૧ પોઝીટીવઃ ૧૯ સાજા થયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ર૩: દેવભુમી દ્વારકા જીલ્લામાં ગઇકાલે કોરોના પોઝીટીવ કેસમાં આગલા દિવસના રપ માં વધુ છ વધતા નવા કેસ ૩૧ થયા છે. જેમાં ખંભાળીયામાં સૌથી વધુ ૧૬ કલ્યાણપુરમાં આઠ અને દ્વારકામાં સાત છે. જયારે ભાણવડમાં શુન્ય છે.

કુલ ૧૯ દર્દીઓને સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે. જેમાં કલ્યાણપુર તાલુકાના ૧૨, ખંભાળીયાના છ તથા દ્વારકાના એક દર્દી સાજા થયા છે. કેસોની સંખ્યા વધતા એકટીવ કેસ પણ વધીને ૩૮પ થયા છે.

ખંભાળીયા શહેરમાં કોરોના પોઝીટીવ વ્યાપક થતા ગઇકાલે એક જ દિવસમાં ખંભાળીયામાં સતવારા વાડ સહીતના વિભાગમાં ૧૦ નવા કેસ નોંધાયા છે.

(12:53 pm IST)