સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd April 2018

માળીયા હાટીનાનાં તરસીંગડા ગામનો બનાવ

માસીએ પૈત્રુક જમીન પચાવી પાડયાની ભાણેજે નોંધાવી ફરિયાદ

જૂનાગઢ તા. ર૩ :..  માળીયા હાટીનાના તરસીંગડા ગામે આવેલ પૈત્રુક જમીન માસીએ પચાવી પાડી હોવાની ફરીયાદ ભાણેજે કરતા ચકચાર વ્યાપી ગઇ છે.

આ બનાવની વિગતો એવી છે કે, ગીર સોમનાથ જિલ્લાના ધુસીંયા ગીર ગામે રહેતાં જગદીશ ગોવિંદ ડાભી (પ્રજાપતિ) એ તેના હાલ રાજકોટમાં મવડી ચોકડી વિસ્તારમાં રહેતા માસી ભાનુબેન બચુભાઇ માવદીયા વિરૂધ્ધ માળીયા હાટીના પોલીસમાં વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે.

જેમાં જગદીશ ડાભીની સદ્ગત માતાની પૈત્રુક જમીન માળીયાના તરસીંગડા ગામે આવેલ છે.

પાંચ વિઘા ખેતીની આ જમીન પચાવી પાડવા માટે માસી ભાનુબેને તેના બહેન લીલાવંતીબેન નામ વારસાઇ એન્ટ્રીમાં ન હોવાનું જણાવી ખોટુ સોગંદનામુ કરી સીધી લીટીના વારસદાર લીલાવંતીબેનના ભાગની જમીન પાડવી લીધી હોવાની ફરીયાદ આધારે પોલીસે આગળની કાર્યવાહી કરી છે. (પ-૧ર)

(1:26 pm IST)