News of Thursday, 23rd March 2023
જલંધર ગીરમાં તોફાની પવન વાવાઝોડા અને વરસાદથી નુકસાની થયેલનું સર્વે કરવા માંગણી
માળીયાહાટીના તાલુકાના જલંધર ગીર ગામમાં ચાર દિવસ પહેલા તોફાની પવન મીની વાવાઝોડું અને વરસાદથી ખેડૂતો અને ગ્રામજનોને મોટા પાયે નુકસાની થયેલ છે ઘણા લોકોના આંબા સાફ થઈ ગયા છે ઘણા લોકોના મકાનોના છાપરા પણ ઉડી ગયા છે અને ઘણા ના મકાનો ની દીવાલોમાં તિરાડો પણ પડી છે
પરંતુ આજ સુધી આ નુકસાની નું સર્વે થયેલ નથી તો જલંધર ગીરના સરપંચ ભીમભાઈ રબારી અને જિલ્લા પંચાયતના સદસ્ય વરાજાંગ ભાઈ કરમતાએ ઉચ્ચકક્ષાએ લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે
અને તાત્કાલિક જલંધર ગીરમાં વરસાદ અને પવનથી થયેલ નુકસાની નું સર્વે તાત્કાલિક કરવા માગણી કરી છે
(12:38 am IST)