સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd March 2019

મોરબી-નવલખી રોડ પર ડાઇવર્ઝન નહીં દેખાતા બાઈક ધૂળના મોટા ઢગલા સાથે અથડાઈ :બે મિત્રોના કરુણ મોત

 

મોરબીના નવલખી રોડ ઉપર રોડના કામ માટે રાખેલા ડાઇવર્ઝન દેખાતા બાઇક ધૂળના ઢગલા સાથે અથડાતા બે મિત્રોના કરૂણ મોત નિપજ્યા હતા. બંને મિત્રો યુનાઇટેડ જીવદયા ગ્રુપના સભ્યો હતા.

 

   મળતી માહિતી પમુજબ મોરબી માધાપર વિસ્તારમાં રહેતાહર્ષ મહેશભાઇ પરમાર અને તેનો મિત્ર મીત મહેશભાઇ મેરજા ગત તા. 21ના રોજ હોળીના રાત્રે બે વાગ્યાના આસપાસ ધક્કાવાળી મેલડી માતાના મંદિરથી નવલખી રોડ તરફ બાઇક પર ફરવા જઇ રહ્યા હતા.
   
દરમિયાન રોડનું કામ ચાલું હોવાથી રાત્રીના અંધકારના કારણએ ત્યાં રાખેલું ડાઇવર્ઝન દેખાતા પુરપાટ ઝડપે આવતું બાઇક ત્યાં રહેલા ધુળના મોટા ઢગલા સાથે ધડામ દઇને અથડાયું હતું. ગમખ્વાર અકસ્માતમાં બંને મિત્રો મિત અને હર્ષના આરાફરતી કરૂણ મોત નીપજ્યા હતા.

(1:03 am IST)