જામનગરના જોડીયા પાસે છોટાહાથીમાંથી પડી જતા પોરબંદરના સોયબ સુમરાનું મોત
મિત્રો સાથે કચ્છ હાજીપીર દર્શન કરવા જતો'તો
રાજકોટ તા ૨૩ : જામનગરના જોડીયા નજીક છોટાહાથીમાંથી પડી જતા પોરબંદરના મુસ્લીમ યુવાનનું રાજકોટની સિવિલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ પોરબંદરના નવા કુંભારવાડા મેઇન રોડ પર રહેતો સોયબ મામદભાઇ સુમરા (ઉ.વ.૨૫) ગઇકાલે તેના મિત્રો સાથ ેછોટા હાથીમાં પાછળ બેસીને કચ્છમાં હાજીપીરની દરગાહે દર્શન કરવા માટેજતો હતો, ત્યારે જામનગરના જોડીયા પાસે તે છોટા હાથીમાંથી પડી જતા તેને માથાના ભાગે ઇજા થતા પ્રથમ જામનગર બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, ત્યા ં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક સોયબ ત્રણભાઇ એક બહેનમાં નાનો હતો. તેના પિતા સાયકલની દુકાન ધરાવેછે. આ અંગે જામનગર પોલીસે તપાસ હાથ ધરી છે.