સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd March 2019

જાફરાબાદના ધોળાદ્વિ ગામમાં યુવતીને ભગાડી જવામાં મદદ કર્યાની શંકાએ આધેડની લાકડીના ફટકા ઝીકી હત્યા

45 વર્ષીય માધાભાઇ ડોળાસીયાને ત્રણ શાખહોએ લાકડીથી માર મારતા મોત

 

અમરેલીના જાફરાબાદના ધોળાદ્વિ ગામે યુવતીને ભગાડી જવામાં મદદ કરી હોવાની આશંકાએ આધેડની હત્યા કરાઈ છે ત્રણ જેટલા શખ્સોએ લાકડીના ફટકા મારીને હત્યા કરી હતી અંગે પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચીને લાશને પીએમ માટે જાફરાબાદ હોસ્પિટલ ખસેડી હતી. પોલીસે હત્યારાઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

    અંગે મળતી વિગત મુજબ જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામે 45 વર્ષીય માધાભાઇ ડોળાસીયાને ત્રણ શખ્સોએ લાકડી વડે માર મારતા મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ ત્રણેય શખ્સો ફરાર થઇ ગયા હતા.

   મૃતકે યુવતીને ભગાડી જવામાં મદદ કરી હોવાને કારણે હત્યા કરવામાં આવી હોવાનું નાગેશ્રી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે

 હત્યારાઓને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાને પગલે નાગેશ્રી પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ માધાભાઇના મૃતદેહને પીએમ માટે જાફરાબાદ સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો

પોલીસે અજાણ્યા ત્રણેય શખ્સો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.

(1:01 am IST)