સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd March 2018

જામનગર જિલ્લા માટે ધિરાણ વસુલાત સહાય

૧૧ લાખથી વધુની સહાયતા

જામનગર,તા.૨૩: જામનગર જિલ્લામાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ની સ્થિતિએ વર્ષ ૨૦૧૬-૧૭માં કુલ ૮ સેવા સહકારી મંડળીઓને ધિરાણ પેટે ૨,૮૫,૯૦૦ અને વસુલાત વૃદ્ધિ સહાય પેટે ૨,૧૫,૨૦૦ તેમજ તેમજ વર્ષ ૨૦૧૭-૧૮માં ત્રણ મંડળીઓને ધિરાણ પેટે ૪,૩૨,૯૦૦ જ્યારે વસૂલાત વૃદ્ધિ સહાય પેટે ૨,૫૦,૨૦૦ એમ બંને વર્ષોમાં કુલ ૧૧,૮૪,૨૦૦ની રકમ આપવામાં આવી છે તેમ જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સહકારી મંડળીઓને સહાય અંગે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન પૂછાયેલા પ્રશ્નો ઉત્તર આપતાં સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું. ધિરાણ સહાય મંજૂર કરવાની સત્તા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ દ્વારા પૂછાયેલા પ્રશ્નો જવાબ આપતાં રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, ૨૦૦૦૦ સુધી જિલ્લા રજિસ્ટ્રાર ૨૦,૦૦૦થી ૨ લાખ સુધી સંયુક્ત રજિસ્ટ્રાર તેમજ ૨ લાખથી ૪ લાખ મંજૂર કરવાની સત્તા અધિક રજિસ્ટ્રારને અપાઈ છે.

(10:07 pm IST)