સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd March 2018

કાલથી વાંકાનેરના ખેરવામાં કથા,રાજકોટના ઘનશ્યામદાસબાપુ વકતા

બળવંતસિંહ ધીરૂભા ઝાલા પરિવાર દ્વારા

રાજકોટ, ૨૩ :. વાંકાનેર તાલુકાના ખેરવા ગામમાં બળવંતસિંહ ધીરૂભા ઝાલા પરિવાર દ્વારા વિશ્વકર્માદાદાના મંદિરની બાજુમાં તા. ૨૪ થી ૩૦ માર્ચ સુધી શ્રીમદ્દ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયેલ છે.

વ્યાસપીઠ પર સૌરાષ્ટ્રના જાણીતા કથાકાર શ્રી ઘનશ્યામદાસબાપુ નિરંજની બિરાજી કથા શ્રવણ કરાવશે. પોથીયાત્રા કાલે શનિવારે સાંજે ૪ વાગ્યે નીકળશે. નંદોત્સવ મંગળવારે સાંજે ૫.૩૦ કલાકે રાખેલ છે. કથાનો સમય દરરોજ સવારે ૯.૩૦ થી ૧૨ અને બપોરે ૩.૩૦ થી ૬ વાગ્યા સુધીનો રહેશે. સૌને કથા શ્રવણનો લાભ લેવા ઝાલા પરિવારે નિમંત્રણ પાઠવેલ છે.

(11:37 am IST)