News of Friday, 23rd March 2018
સરધારના હરિપરના શિલ્પાબેન પટેલનો ઝેરી દવા પી આપઘાત
રાજકોટ તા. ૨૩: રાજકોટ તાલુકાના સરધાર નજીક હરિપર ગામમાં રહેતી શિલ્પાબેન મનસુખભાઇ સિધ્ધપુરા (ઉ.૩૫) નામની પટેલ મહિલાએ ઝેર પી આપઘાત કરી લેતાં મોત નિપજ્યું છે.
હરિપર રહેતી શિલ્પાબેને ૧૮મીએ ઝેર પી લેતાં સારવાર માટે ગોંડલ સીટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહિ સારવાર દરમિયાન તેણીનું મોત નિપજ્યું હતું. ગોંડલ પોલીસે પ્રાથમિક કાગળો કરી આજીડેમ પોલીસને મોકલતાં હેડકોન્સ. કાળુભાઇ ગામેતીએ તપાસ હાથ ધરી છે. આપઘાત કરનારના પતિ ખેતી કરી ગુજરાન ચલાવે છે. બનાવનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
(11:29 am IST)