ભાણવડના આંબરડીયા યુવકની હત્યામાં આરોપીઓ પોલીસના હાથવેંતમાં
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૩ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના આંબરડી ગામે ગઇકાલે દલિત વ્યકિતની હત્યાનો બનાવ બનેલો જેમાં રાણા ભીખા સાદીયા નામનો શખ્સ ગુમ થયો હતો જે પછી સુખમય રીતે તેની લાશ કુવા પાસેથી મળી આવેલ તપાસમાં હત્યાનો બનાવ નીકળતા ગઇકાલે સાંજે વિધિવત પોલીસ ફરીયાદ દલિત જ્ઞાતિનાજ મુકેશ મનસુખ સાદિયા સહિત ત્રણ સામે ફરીયાદ થઇ હતી જે અનુસંધાને ગઇકાલે જ જિ.પો.વડાશ્રી સુનીલ જોશીના માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી. હિરેન ચૌધરી તુરતજ ઘટના સ્થળે પહોંચી ગયા હતા તથા તેમના માર્ગદર્શન હેઠળ ભાણવડ પો.સ.ઇ. જે.જી.સોલંકીએ તપાસ હાથ ધરીને પુછપરછ કરતા આ ભેદ ઉકેલાઇ જતા આરોપી હાથવેંતમાં હોવાનું પોલીસ વર્તુળોમાંથી જાણવા મળેલ છે. તથા સાંજે વિધિવત પકડાઇ જાય તેવી સંભાવના છે જો કે થોડા સમયમાં દ્વારકા જીલ્લામાં ત્રણ-ત્રણ ખુનના બનાવો થયેલા પણ તમામના ભેદ ઉકેલવામાં પોલીસ સફળ રહી છે. તે દ્વારકા જિ. પોલીસની મહત્વની બાબત ગણાય છે.