સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd February 2021

ગિરનાર પર્વત ઉપર સેલ્ફી પોઇન્ટ ઉભો કરાયો

જૂનાગઢ : ગિરનાર પર્વત ઊપર બિરાજમાન અંબે માતાજીના દર્શને પધારતા યાત્રિકો માટે ઉષા બ્રેકોનાં ઉડનખટોલાનાં અપર સ્ટેશન ઉપર ઉડનખટોલા દ્વારા નવું સોપાન આઇકોન બેલ સાથેનો સેલ્ફી પોઇટ સાથે બાઈનો કયુલર દૂરબીન દ્વારા ગિરનારના અન્ય ધર્મ સ્થળોનાં નજીકથી દર્શન કરાવવાનો પોઇન્ટ ઊભો કરાયો છે જેનો યાત્રિકો અલગ પ્રકારના રોમાંચ સાથે લાભ રહ્યા છે અને ઉડનખટોલા દ્વારા મંદીર પરિસરમાં યાત્રિકોને વિશ્રામ માટે બેન્ચો મુકાઈ છે કંપની દ્વારા ગિરનારની યાત્રાએ આવતા યાત્રીકો માટે વધુમાં વધુ સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસો કરાઈ રહ્યાં છે.

(1:08 pm IST)