News of Saturday, 23rd February 2019
સોમનાથમાં દ્વાદશ જયોર્તિલીંગ ધ્વજદંડનું સ્વાગત
વેરાવળ-પ્રભાસ પાટણ : સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં ર૩ થી રપ નાં દ્વાદશ જયોર્તિલીંગનો કાર્યક્રમનું ભવ્ય આયોજન થયેલ છે. તેનાં અનુસંધાને તા. રર-ર-૧૯નાં રોજ સાંજનાં સમયે સોમનાથ રેલ્વે સ્ટેશને ઉજ્જૈનથી દ્વાદશ જયોર્તિલીંગનો ધ્વજદંડ લઇને પુજારીઓ તેમજ મહેમાનો આવેલ હતાં. આ ધ્વજદંડનું ઢોલ-શરણાયથી ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું. અને સોમનાથ ભગવાનને અર્પણ કરવામાં આવેલ. આ તકે સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી સેક્રેટરી પી. કે. લહેરી, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, પુજારીઓ અને સોમનાથનાં અધિકારી કર્મચારીઓ અને લોકોએ હાજરી આપેલ હતી.
(12:21 pm IST)