ભાવનગરમાં ગૂમ થયેલ વૃધ્ધાની લાશ કૂવામાંથી મળી
૭ દિ' પહેલા રાત્રીના સબંધીના ઘરે જવા માટે નિકળેલા
ભાવનગર તા. ૨૩ : ફૂલસર વિસ્તારમાં આવેલ ખારા (મફતનગર)માં રહેતા વૃદ્ઘ મહિલા કાન્તાબેન રામજીભાઈ ચૌહાણ ઉ.વ.૭૫ ગત તા.૧૫.૨.૨૦૧૯ના રોજ રાત્રીના સમયે તેના ઘરે થી ફૂલસર તેમના સબંધી ના ઘરે પગપાળા જવા રવાના થયા હતા પરંતુ વૃદ્ગાવસ્થા ના કારણે રસ્તો ભુલી જતાં ભાર્ગવ વૃક્ષ મંદિર વાળા રોડ પર ચડી ગયાં હતા. જયાં સતુભા કલ્યાણસિંહ સરવૈયાના ફાર્મ હાઉસ ના ગેટ પાસે આવેલ પાણી વિનાના ખાલી કૂવાની પાળ પર બેઠા હોય એ દરમ્યાન અકસ્માતે કૂવામાં ગબડી પડતા ગંભીર ઇજાને લઈને તેમનું મોત નિપજયું હતું.
કાન્તાબેન ઘણો સમય પસાર થવા છતાં પરત ન ફરતા તેના પરિજનોએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરી હતી જે દરમ્યાન ફાર્મ હાઉસમાં કામ કરતાં મજુરોને બંધ કૂવામાંથી અસહ્ય દુર્ગંધ આવતા કૂવામાં તપાસ કરતા લાશ જોવા મળી હતી જે અંગ પોલીસ તથા ફાયર બ્રિગેડના જવાનોને જાણ કરતા કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબ્જો લઈ ફોરેન્સિક પી.એમ માટે મોકલી વધુ તપાસ હેડકોન્સટેબલ હરદેવસિંહ ગોહિલ એ હાથ ધરી છે.(૨૧.૯)