સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd January 2020

વાંકાનેરના દેવાબાપા જગ્યા પાસે ફાયરીંગ મામલે મહંતના દીકરા સહીત પાંચ આરોપીઓ ઝડપાયા

જમીનના ડખ્ખામાં કરાયું હતું ફાયરીંગ:૧૧ સામે ફરિયાદ બાદ કાર્યવાહી

 

વાંકાનેરના ઠીકરીયાલી નજીક દેવાબાપા જગ્યા પાસે ફાયરીંગ કરાયું હતું જે બનાવ મામલે પોલીસે ૧૧ સામે પોલીસ ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં મહંતના દીકરા સહીત પાંચ આરોપીને પોલીસે ઝડપી લીધા છે

વાંકાનેરના દેવાબાપા જગ્યા પાસે થયેલ ફાયરીંગ મામલે ધનજીભાઈ કોળીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં જગ્યાના મહંત વીરજી ભગત તેમજ તેના દીકરા દલસુખ વીરજી સહીત ૧૧ શખ્શ સામે જીવલેણ હુમલો કર્યાની અને ફાયરીંગની ફરિયાદ નોંધાવી હતી જમીનના ડખ્ખામાં કરાયેલ ફાયરીંગ અને જીવલેણ હુમલાની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી હતી

જે બનાવમાં તાલુકા પોલીસે આરોપી મહંતના દીકરા દલસુખ વિરજીભાઈ નાકીયા, રમેશ અરજણભાઈ પરબતાણી, ભાનુભાઈ ગોવિંદભાઈ નાકીયા, લવાભાઇ ગોવિંદભાઈ નાકીયા અને કાળું પોલાભાઈ સોરાણી એમ પાંચની ધરપકડ કરી છે જયારે અન્ય આરોપીની શોધખોળ ચલાવી છે

(1:04 am IST)