News of Wednesday, 23rd January 2019
ભાણવડ, કલ્યાણપુર તથા દ્વારકાના ખેડૂતોએ કૃષિ ઈનપુટ સહાય મેળવવા અરજી કરવી
દેવભુમિ દ્વારકા તા.૨૩ : દેવભૂમિ દ્વાકા જિલ્લામાં અપુરતા વરસાદના લીધે ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકાને અછતગ્રસ્ત/ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવેલ છે. જેમાં ખેડુતોને મળનારી હેકઠર દીઠ કૃષિ ઇનપુટ સહાય મેળવવા ઇચ્છતા ખેડુતો માટે તા.૩૧-૦૧-૨૦૧૯ સુધી અરજીઓ મેળવવાનો સમયગાળો લંબાવવામાં આવેલ છે.
જે કૃષિ ઇનપુટ સહાય મેળવવા ગ્રામ પંચાયતના તલાટીમંત્રીશ્રી તેમજ નગરપાલિકા વિસ્તારમાં સીટી તલાટીમંત્રીશ્રી પાસેથી ફોર્મ મેળવીને સાધિનક કાગળો જેવા કે ૭-૧૨, ૮-અના ઉતારા, આધારકાર્ડ, બેંક પાસબુકની નકલ સાથે તા.૩૧સુધી લગત તાલુકાએ પરત આપવાના રહેશે તેમ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે. (૪૫.૧૩)
(12:01 pm IST)