રાપરમાં ભાજપને મળતાં વ્યાપક જનસમર્થન વચ્ચે યોગી આદિત્યનાથ સભા ગજવશે
કાલે જાહેરસભા, ગ્રામીણ વિસ્તારોમાં વિરેન્દ્રસિંહ જાડેજાને જબરદસ્ત આવકાર
(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨
કચ્છના રાપર વિસ્તારમાં ભાજપનો ઝંઝાવાતી પ્રચાર ચાલુ છે. રાપર બેઠક ઉપરથી ચુંટણી લડી રહેલા વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રચાર અર્થે ભાજપના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ રાપર વિસ્તારમાં વ્યાપક જનસંપર્ક કર્યા બાદ હવે યોગી આદિત્યનાથ રાપર આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાજપના સ્ટાર પ્રચારક છે અને પોતાના જોશીલા ભાષણ માટે જાણીતા છે. આવતીકાલે તેઓ રાપરમાં સભા ગજાવશે. દરમ્યાન રાપરમાં કેસરિયો લહેરાવવા વિરેન્દ્રસિંહ જાડેજા મક્કમ પણે આગળ વધી રહ્યા છે. વિરેન્દ્રસિંહ જાડેજાને ચુંટણી પ્રચાર દરમ્યાન સમગ્ર રાપર મત વિસ્તારમાંથી ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે. અનેક સામાજિક રાજકીય આગેવાનો પ્રચાર ઝુંબેશમાં જોડાયા છે તો કોંગ્રેસના અનેક અગ્રણીઓએ પંજા નો સાથ છોડી કેસરિયા કરી વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થન સાથે ભાજપમાં જોડાઈ ગયા છે.