વઢવાણના બાળા ગામે ૫૦ વૃક્ષો વાવી સ્વર્ગસ્થ યુવાનને શ્રધ્ધાંજલી અપાઈ
વઢવાણ, તા. ૨૨ :. તાલુકાના બાળા ગામે રહેતા રાકેશભાઈ બળદેવભાઈ ઝીંઝુવાડીયા તેમના પત્નિ કોમલબેન ઝીંઝુવાડીયા સહિત બન્ને પતિ-પત્નિ બાળા ગામથી એકટીવા બાઈક લઈને સુરેન્દ્રનગર ખરીદી કરવા નિકળેલા દંપતીના એકટીવા બાઈકને તાજેતરમાં રીક્ષા ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકસવાર બાળા ગામના સેવાભાવી યુવાન રાકેશભાઈ ઝીંઝુવાડીયાનું ઘટના સ્થળે મોત નિપજતા સમાજ અને પરિવાર શોકમાં ગમગીન બન્યો હતો અને સેવાભાવી યુવાનના દિલથી વ્હાલા મિત્ર છોડીને ચાલ્યા જતા અણધારી વિદાય થતા મિત્રોએ મિત્રની યાદમાં મોક્ષધામને લીલુ અને હરિયાળુ બનાવવા માટે વિવિધ જાતના ૫૦થી વધુ વૃક્ષો વાવી પર્યાવરણના જતન વિષે ઉંમદા કાર્ય કરવામાં બાળા ગામના હર્ષદભાઈ વ્યાસ, ગોવિંદભાઈ સારદીયા, નારાયણભાઈ ખેર, સહદેવભાઈ સાબળીયા સહિતના મિત્રોએ વૃક્ષો વાવી સ્વર્ગવાસ પામેલા રાકેશભાઈ ઝીંઝુવાડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી