News of Monday, 22nd November 2021
અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે ઓમ નમો નારાયણ આશ્રમના સાધ્વીજીની ક્રૂર હત્યાથી સનસનાટી
રાજુલાના ખાખબાઈ ગામે આવેલ ઓમ નારાયણ આશ્રમ ખાતે ઘાતક હતીયાનો બનાવ ઓમ નમો નારાયણ આશ્રમના સાધ્વીની હત્યાથી ચકચાર મચી ગઈ છે. આશ્રમમાં જ અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે સાધ્વીજીની હત્યા કરાએલ છે. ખાખબાઈ ગામના રસ્તા પર નમો નારાયણ આશ્રમમાં આવેલા રેખાબેન ગોવિંદભાઈ મેર નામના આ સાધ્વીજી પુજારીની હત્યાથી સનસનાટી મચી ગઇ છે.
(10:42 am IST)