ધોરાજી ખાતે સૈયદ શિરાજી શાહ બાવાના ઉર્ષની ઉજવણી સૈયદ કયુમબાવા દ્વારા ૧૫૧ તબરુંકાત શરીફના દીદાર
ધોરાજીૅં તા.૨૨: ધોરાજી ખાતે કલારિયા શરીફ વાળા સૂફી સંત દુખીયાઓ ના બેલી પીર સૈયદ મોહંમદ સાલેહ શિરાજી શાહ બાવા ના ઉર્ષ નિયમિતએ તેઓની બારગાહ માં ખીરાજ એ અકીદત પેશ કરવાના શુભ હેતુ થી ધોરાજી ખાતે બહારપુરા સાય બાવા ચોક ખાતે આવેલ ખાન કાહે શિરાજી ખાતે આલે નબી ઓલાદ એ અલી સૈયદ હાજીકયુમબાવા શિરાજી દ્વારા ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે ૯ કલાકે મહેફિલ એ નાત શરીફ અને બાદમાં સવારે ૧૦ કલાકે એક મહેફિલ એ શિરાજીયા રાખવામાં આવેલ હતી જેમાં ખાનદાન એ શિરાજી ના ચશ્મો ચરાગ અને સૌરાષ્ટ્ર ભર માં તકરીરો કરી સમાજ માં રહેલ કુરિવાજ ને નાબૂદ કરવાની પ્રેણા આપનાર અને યુવાનો ને ઘેલું લગાડનાર સૈયદ શકીલબાપુ શિરાજી ( ખલિફા એ શેખુલ ઇસ્લામ ) એ વયાજ કરેલ હતું સૌરાષ્ટ્ર ભર માંથી સૈયદ સિરાજીશાહ બાવા ના અકીદત મંદો એ ખીરાજ અકીદત પેશ કરી અને પુણ્ય નું ભાથું બાંધેલ હતું અને બાદ માં તબરુંકાત શરીફ ના દીદાર કરવામાં આવ્યા હતા આ અમૂલ્ય અવસર ને સફળ બનાવવા માટે હાજી મોઈનુદ્દીન બાવા શિરાજી ( બાવા સાય ) સૈયદ સલીમબાવા શિરાજી સૈયદ ડાડા બાવા શિરાજી એ જહેમત ઉઠાવેલ હતી
પીર એ તરિકત સૈયદ કયુમબાવા શિરાજી દ્વારા ૧૫૧ તબરુંકાત શરીફ ના દીદાર કરવામાં આવ્યા.