જસદણ યાર્ડના વા. ચેરમેન પદે પ્રાગજીભાઇ બિનહરીફ
જસદણ : માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન પદે કનેસરા દુધ મંડળીના પ્રમુખ પ્રાગજીભાઇ કુકડીયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. યાર્ડના મીટીંગ હોલ ખાતે ચેરમેન અરવિંદભાઇ તાગડીયાના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજવામાં આવી હતી જેમાં વાઇસ ચેરમેનની ટર્મ પુરી થતી હોવાથી ચુંટણી યોજવામાં આવી હતી, જેમાં અઢી વર્ષ માટે યાર્ડના પુર્વ વાઇસ ચેરમેન ભગુભાઇ મણીભાઇ બસીયા એ વાઇસ ચેરમેન પદ માટે પ્રાગજીભાઇ દેહાભાઇ કુકડીયાના નામની દરખાસ્ત મુકવામાં આવી હતી, જેને જેશિંગભાઇ મેરામભાઇ ડવ એ ટેકો આપ્યો હતો તથા અન્ય કોઇ વાઇસ ચેરમેન માટે દરખાસ્ત નહીં આવતા કનેસરા પંથકના સહકારી અગ્રણી પ્રાગજીભાઇ કુકડીયાને સર્વાનુમતે બીન હરીફ જાહેર કર્યા હતા. યાર્ડના ડીરેકટરો દેવચંદભાઇ કે. ગોૈદાણી, ધનવીભાઇ ડી. જાપડીયા, પ્રવિણભાઇ વિજીયાણી, રણછોડભાઇ સી. કટેશીયા, સુરેશભાઇ એમ. દેસાઇ, પ્રેમજીભાઇ એ. રાજપરા, નરેશભાઇ સી. ચોહલીયા, મહાવિરભાઇ બી ધાધલ, અશોકભાઇ એમ. ચાઉ, અરૂણભાઇ બી. રામાણી (એ.બી) તથા તાલુકા સંઘના-૧ સહકારી-૧,પાલીકાના-૧ એમ કુલ તમામ ૧૫ ડિરેકટરો ઉપસ્થિત રહયા હતા અને નવનિયુકત વાઇસ ચેરમેન પ્રાગજીભાઇ કુકડીયાને કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, પુર્વ ધારાસભ્ય અને સરદાર પટેલ જળ સંચય યોજનાના અધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, વિછીયા યાર્ડના ચેરમેન કડવાભાઇ જોગરાજીયા તથા કનેસરા ગ્રામ પંચાયતના સરપંચ હસમુખભાઇ હાંડા સહીતનાઓએ આવકારીને અભિનંદન પાઠવ્યા હતા. બિનહરીફ વાઇસ ચેરમેનનું સન્માન કરવામાં આવ્યું તે તસ્વીર