સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd November 2019

વાંકાનેરના રાણેકપર ગામ પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો: વાલીવારસની શોધખોળ

 

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના બસ સ્ટોપ પાસે અજાણ્યો પુરુષના નાકના ભાગે ઈજા પામેલ કણસતી હાલતમાં મળી આવતા ગામના સરપંચ લખમણભાઈ મુંધવાએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી જેને વાંકાનેર બાદ રાજકોટ બેભાન અવસ્થામાં ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરેલ છે જોકે મૃતક અજાણ્યા પુરુષની ઓળખ થઇ સકી ના હોય જેથી પોલીસે ઓળખ મેળવવા અને તેના વાલીવારસની શોધખોળ ચલાવી છે તેમજ મૃતક પુરુષ અંગે કાઈ પણ માહિતી હોય તો વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ફોન નંબર ૦૨૮૨૮ ૨૨૦૫૫૬ પર સંપર્ક કરવા જણાવ્યું છે

(12:55 am IST)