ઉપલેટામાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ઇદ નિમિતે ઝુલૂસઃ ઉપલેટા
સુન્ની મુસ્લીમ સમાજ તરફથી હઝરત મહમદ પેગમ્બર સાહેબની જન્મ જયંતી નિમિતે વિશાળ ઝુલૂસનું આયોજન કરાયુ જેમા મુસ્લીમ સમાજના હજારોની સંખ્યામાં મુસ્લીમ બિરાદરો જોડાયા હતા આ ઝૂલૂસ ન્યામતમાની દરગાહેથી શરૂ થઇ પંચહાટડી, સોનીબજાર, ગાંધીચોકમાં ઝુલૂસ પહોંચતા પાલીકા પ્રમુખ દાનાભાઇ ચંદ્રવાડીયા, ઉપપ્રમુખ ધવલ માંકડીયા, રફીકભાઇ મુસાણી, હનીફભાઇ કોડી, અલતાફભાઇ ડોસાણી, શાહનવાઝ બુખારી વિગેરે આગેવાનો ઉપસ્થિત રહી હારતોરા કરવામાં આવેલ ત્યારબાદ આ ઝુલૂસ ઇદગાહ પર સંપન્ન થયેલ છેલ્લા ૪૦ વર્ષથી આમ ન્યાઝનો પોગ્રામ કાદરી સબ્બીર બાપુ, બુખારી યુસુફમીયા બાપુ વિગેરે કાર્યકર્તાઓ દ્વારા જહેમત ઉઠાવેલ હતી. આ ઝુલૂસને સફળ બનાવવા માટે પ્રમુખ સીદીકભાઇ બાવાણી, અબાબાપુ, મોજમીલબાપુ, ઇકબાલબાપુ, બબલુબાપુ, સૈયદ દાદબાપુ, કોડીનારવાળા, સૈયદ મુનીરબાપુ, શિરાજસા શેખ, રજાક હિંગોરા, રફીક શેખ, દિલાવરભાઇ હિંગોરા, તૌફીકભાઇ બકાલી, જાવીદ લાખાણી, અકરમશા સોહરવર્દી અકુલી કલીવાલા વિગેરેએ જહેમત ઉઠાવેલી હતી.