સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd October 2021

જામજોધપુર યાર્ડમાં તામીલનાડુ - મદ્રાસથી વેપારીઓ મગફળી ખરીદવા આવ્યા : મણનો ભાવ ૧૩૫૧

જામજોધપુર : માર્કેટીંગ યાર્ડમાં તામીલનાડુ મદ્રાસથી વેપારીઓ મગફળી ખરીદવા આવતા મગફળીનો ૧૩૫૧ જેવો ઉંચો ભાવ આવેલ છે. યાર્ડમાં મગફળી તથા કપાસની આવક પણ ધૂમ વધતા કપાસનો ભાવ પણ ૧૭૦૦ રૂ. જેવી રકમે પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. યાર્ડમાં જણસીની આવક વધતા જણસી વેચવા આવનાર ખેડૂતોને કોઇ પણ જાતની મુશ્કેલી ન પડે તે માટે યાર્ડના પ્રમુખ બ્રિજરાજસિંહ જાડેજા દ્વારા કર્મચારીને જરૂરી સલાહ સુચન આપી હતી.

(12:42 pm IST)