સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd October 2021

અમિતભાઇ શાહના જન્મદિન નિમિતે શ્રી સોમનાથ મહાદેવનું વિશેષ પૂજન અર્ચન

વેરાવળ-પ્રભાસપાટણ, તા. રર :  સોમનાથ ખાતે ભારતના ગૃહમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઇ શાહનો પ૭ મો જન્મદિવસ છે. જેથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ મહા પૂજા આયુષ્યમાન મંત્ર જાપ અને સાંધ્ય દિપમાળાનું આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે જેમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તથા પંડિતો ઉપસ્થિત રહ્યા હતા. અને સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી તેઓને જન્મદિવસ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી.

(11:24 am IST)