દેણું થઇ જતાં મોરબી લાલપરના મયુરે ગળાફાંસો ખાઇ લીધો
પત્નિ જોઇ જતાં બચાવી લીધોઃ રાજકોટ સારવારમાં
રાજકોટ તા. ૨૨: મોરબીના લાલપરમાં રહેતાં મયુર મનોજભાઇ મુછડીયા (ઉ.વ.૨૩) નામના યુવાને રાત્રીના દસેક વાગ્યે છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં તે વખતે જ પત્નિ હેતલબેન આવી જતાં તેણે જીવ બચાવી લીધો હતો. મયુરને મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં મોરબી તાલુકા પોલીસને જાણ કરાઇ હતી.
મયુરના છ મહિના પહેલા જ હેતલ સાથે લવમેરેજ થયા છે. તે સાડીની દૂકાનમાં નોકરી કરે છે. તેની પત્નિના કહેવા મુજબ લવમેરેજના કાગળો કરવામાં ખર્ચ થયા પછી એપેન્ડીકસનું ઓપરેશન કરાવાયું તેમાં ખર્ચ થયો હતો. હવે મયુરની બહેનનો પ્રસંગ પણ આવે છે. એકાદ લાખનું દેણું થઇ જતાં તે ટેન્શનમાં હતો. રાતે અગાસીએથી નીચેના રૂમમાં આવી તેણે આ પગલુ ભર્યુ હતું. સારવાર મળી જતાં જીવ બચી ગયો હતો.