મોરબીના પંચાસરમાં સગીર પર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્યઃ આરોપીની શોધખોળ
રવિરાજસિંહ ઝાલાએ સગીર પર કુકર્મ આચરી કોઇને કહીશ તો પતાવી દઇશ તેવી ધમકી આપી
મોરબી, તા., ૨૨: મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા સગીરને નિશાળે બોલાવી હવસખોર શખ્સે ૃસૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યા બાદ જો કોઇને કહેશે તો જાનથી મારી નાખીશની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાઇ છે.
પેટનો ખાડો પુરવા, રોજીરોટી રળવા દુરના જીલ્લામાંથી મોરબી તાલુકાના પંચાસર ગામે મજુરી કરવા આવેલા પરીવારના ૧૩ વર્ષના સગીરને ગઇકાલે ગામમાં આવેલા શાળાએ રજાના દિવસે બોલાવી પંચાસર ગામે રહેતા રવિરાજસિંહ ખુમાનસિંહ ઝાલા નામના શખ્સે બાળકને નિર્વસ્ત્ર કરી તેની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કુકર્મ આચર્યુ હતું અને આ વાત જો તું કોઇને કહીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ગભરાયેલા બાળકે સમગ્ર હકીકત તેના પિતાને જણાવતા પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકે સમગ્ર હકીકતની જાણ કરતા તાલુકા પોલીસે આરોપી રવિરાજસિંહ વિરૂધ્ધ આઇપીસી કલમ ૩૩૭, પ૦૬ (ર) તેમજ પોકસો કલમ અન્વયે ૪, ૮ અને ૧ર મુજબ ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા તપાસ આદરી છે.(૪.૫)