News of Monday, 22nd October 2018
ગઢડા ગોપીનાથજી મંદિરમાં ઘનશ્યામ સ્વામી-મૌલિક ભગત વિરુદ્ધ મારામારીની ફરિયાદ:વિષ્ણુ હુંબલને ઇજા
મંદિર બહાર આવેલ દુકાનોના વિવાદને લઈને મોડીરાત્રે મામલો બિચક્યો
ગઢડા ગોપીનાથજી મંદિરના કોઠારી ઘનશ્યામ સ્વામી તેમજ મૌલિક ભગત વિરુદ્ધ મારામારીના ગુનામાં 307ની કલમ હેઠળ કલમ નોંધાઈ છે
ગોપીનાથજી મંદિર બહાર આવેલ દુકાનોના ચાલતા વિવાદને લઈ ગઈકાલે મોડી રાત્રે મામલો બિચકાતા મારામારી થઇ હતી. જેમાં વિષ્ણુ હુંબલને માથાના ભાગે ઇજા થતા તેને સારવાર માટે ભાવનગર ખસેડાયા છે. આ મામલે સામસામી ફરિયાદ નોંધાઇ છે. જેમાં મૌલિક ભગતે પણ વિષ્ણુ હુંબલ સામે ફરિયાદ નોંધાવી છે.
(1:24 pm IST)