જસદણ : દાઉદ વ્હોરા સમાજનાં મહાન ઓલિયા હકીમજી તૈયબજી સાહેબનો જેતપુરમાં ઉર્ષ ઉજવાયો
જસદણ તા ૨૨ : રાજકોટ જીલ્લાના જેતપુર ખાતે દુનિયાભરના દાઉદી વ્હોરા સમાજનાં મહાન ઓલિયા શહીદ હકીમજી તૈયબજી સાહેબનો બે દિવસીય ઉર્ષ મુબારક સંપન્ન આજે સોમવારે થયો હતો દીન દુઃખીયાના પ્રસ્વેદ અને આંસુ લુંછનારા અને અલ્લાહની બંદગીમાં લીન રહેનારા શહીદ હકીમજી સાહેબે પોતાનાં જીવનમાં હંમેશા ભલાઇ કરી હતી અને વીરગતી પામ્યાં હતા. જેતપુરમાં આ ઓલિયાના મઝાર શરીફ પર બે દિવસમાં હજારોની સંખ્યામાં દાઉદી વ્હોરા બિરાદરોએ માથું ટેકવી અંજલી અર્પણ કરી હતી.આ અવસરે જેતપુરમાં ગામેગામથી આસ્થાળુઓ આવી ન્યાઝ, મજલીશ, શંદલ, કુઆર્નખ્વાની જેવા અનેકાએક કાર્યક્રમોમાં ભાગ લઇ શ્રધધાના ફુલો ન્યોછાવર કરેલ હતા. આ તકે જેતપુરવાસીઓએ આવનાર દરેક મહેમાનોની પાણી થી લઇ આરોગ્ય સુધીની કાળજી રાખી હતી.