પાલીતાણાના રંડોળામાં ભાગીયુ રાખનાર વિનોદ સોલંકીએ જ દંપતિની હત્યા કરી'તી
ભાવનગર, તા. ૧ર : પાલિતાણાના રંડોળા ગામે વાડી વિસ્તારમાં રહેતા કરશનભાઇ રાઘવભાઇ રંગપરા (ઉ.વ.૭પ) અને તેના પત્ની વજુબેન રંગપરા (ઉ.વ.૭૦) ગત તા. ૧૬ના રોજ પોતાના ઘરે ખાંટલામાં સુતા હતા ત્યારે લૂંટના ઇરાદે આવેલ શખ્સોએ બન્નેને ખાંટ સાથે બાંધી બોથડ અને તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી હત્યા નિપજાવી નાસી છુટયા હતા.
બનાવ અંગે પાલિતાણા રૂરલ પોલીસ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરતાં ગુનામાં વિનોદ ઉર્ફે ભોપયો બાબુભાઇ સોલંકી વાઘેલા (ઉ.વ.૧૮), રહે. ભીલવાસ, પાલિતાણા), મુકેશ ઉર્ફે મુકો ભાકુભાઇ વાઘેલા (ઉ.વ.ર૭, રે. ભીલવાસ પાલિતાણા) અને મોહન કાકુભાઇ વાઘેલા (ઉ.વ.૩ર)ને ઝડપી લઇ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. બનાવમાં મુખ્ય આરોપી વિનોદ સોલંકી વૃધ્ધ દંપતિની વાડીએ ભાગીયુ રાખી રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. (૯.૧)