News of Monday, 22nd October 2018
સગાઇ નહિ થતાં માંગરોળની મહિલાનો ઝેર પીને આપઘાત
જૂનાગઢ તા. રર :.. સગાઇ નહિ થતાં માંગરોળની મહિલાએ આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.
માંગરોળમાં બંદર વિસ્તારમાં રહેતા વનીતાબેન અરજણભાઇ ચામુડીયા (ઉ.૩૦) નામની મહિલાની ઉમર થઇ ગઇ હોય અને સગાઇ ન થતા ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
મહિલાનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા પોલીસે આગળાની કાર્યવાહી હાથ ધરી હતી. (પ-૧પ)
(11:52 am IST)