સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd September 2021

કચ્છ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોર્ચા ના પ્રભારી કચ્છની મુલાકાતે

કચ્છ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોર્ચા ના પ્રભારી જેઠાભાઈ મિયાત્રા ( મોરબી) એ કચ્છની મુલાકાત દરમિયાન કાર્યક્રમો માં હાજરી આપી

મોરબી :  આજરોજ ભચાઉ શહેર દશનામ ગોસ્વામી સમાજ દ્વારા કૈલાશ ધામ મધ્યે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે કચ્છ જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રભારી  જેઠાભાઇ મ્યાત્રા, જિલ્લા બક્ષીપંચ મોરચા ના પ્રમુખ  માવજીભાઈ ગુંસાઈ, કચ્છ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિનુદાનભાઇ ગઢવી, કચ્છ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિરમભાઇ આહીર, કચ્છ જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ બાબુભાઈ આહીર, કચ્છ જિલ્લા બક્ષીપંચ મોરચાના મંત્રી જગદીશભાઈ સુથાર, તથા કચ્છ જિલ્લા બક્ષીપંચ મોરચા ના ખજાનચિ હરેશભાઈ આહીર, ભચાઉ શહેર ભાજપ મહામંત્રી  આઈ.જી. જાડેજા, ભચાઉ દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ હીરાગીરી ગોસ્વામી, સામાજીક આગેવાન મહેશભાઈ સોલંકી તથા ભચાઉ દશનામ ગોસ્વામી સમાજ ના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

ઉપરાંત પ્રભારી જેઠાભાઈ મિયત્રાએ બક્ષીપંચ આગેવાની સાથે મીટીંગો યોજી વિચાર વિમર્શ કર્યો હતો.

(11:18 pm IST)