સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd September 2020

ખંભાળિયામાં મહીનાઓ પછી ગઇકાલે એક પણ પોઝીટીવ કેસ નહી

પ્રબુધ્ધ નાગરિકોનો સેવાયજ્ઞ ફળ્યો

ખંભાળિયા તા.રર : પ્રબુધ્ધ નાગરિકો વેપારી મંડળો દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ ર૩ સ્થળે સેવાયજ્ઞો શરૂ કરવામાં આવેલા જેમાં તમામ સ્થળે વિનામૂલ્યે માસ્ક વિતરણ વિનામૂલ્યે નાસ વિતરણ તથા વિનામૂલ્યે આયુર્વેદિક ઉકાળો સેવકો દ્વારા કામ કરવામાં આવતુ હતુ. અગ્રણીઓ ધીરેનભાઇ બદિયાણી, વિનુભાઇ, પરેશભાઇ જાડેજા, નટુભાઇ કુંડલિયા, નિલેશ કુંડલિયા, ઇન્દ્રજીતસિંહ પરમાર, હસુભાઇ ધોળકીયા, જીજ્ઞેશ પરમાર દ્વારા આ કામગીરીથી જાગૃતતા આવી હતી તથા ૧૦ દિવસમાં હજારો વ્યકિતઓએ આ સેવાયજ્ઞોનો લાભ પણ લીધો હતો. ત્યારે તેનું પરિણામ દેખાયું હોય તેમ ગઇકાલે કોરોના પોઝીટીવ કેસનો આંકડાઓમાં મહિનાઓ પછી પ્રથમ વખત ખંભાળિયા કે જયાં અત્યાર સુધીમાં ર૧પ  ઉપરાંત પોઝીટીવ કેસ નોંધાયા છે. ત્યાં ગઇકાલે શહેર તથા તાલુકામાં એક પણ પોઝીટીવ કેસ નોંધાયો ન હતો જે રેકોર્ડ અત્યાર સુધીનો છે.

(12:50 pm IST)