સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd September 2020

જુનાગઢ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું સન્માન

જુનાગઢ : એસબીઆઇ લાઇફ ઇન્સ્યુરન્સ મોતીબાગ બ્રાન્ચ દ્વારા કોરોના યોધ્ધા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું સન્માન પત્ર એનાયત કરી સન્માન કરાયુ હતુ. ઉપરોકત તસ્વીરમાં શ્રી જાડેજાનું સન્માનપત્ર આપી સન્માન કરતા બ્રાન્ચ મેેનેજર ભરતટોપીયા તેમજ સિનીયર એજન્સી મેનેજર પુષ્પેન્દ્રસિંહ જાડેજા તેમજ રીતેશ લાઠીગરા જીજ્ઞેશ મકવાણા, અરવિંદ પાનસુરીયા, યશવંતભાઇ રામ સહિતના સ્ટાફ નજરે પડે છે. આ સન્માનપત્રમાં જણાવ્યું છે કે દેશમાં ચાલી રહેલ કોરોના વાઇરસની મહામારી સામે આપ યોધ્ધા જીવન જોખમમાં નાખી પ્રજાની સલામતી માટે આપની ફરજ નિષ્ઠાને બિરદાવી આપને કોરોના યોધ્ધા તરીકે વધાવી આપ નિરોગી રહી વધુ સેવા સમાજને આપતા રહો તેવી લાગણી સાથે અભિનંદન પાઠવ્યા હતા. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(12:47 pm IST)